Saturday, August 11, 2012

મરણ તો આવે ત્યારે વાત !

મરણ તો આવે ત્યારે વાત
અત્યારે તો જીવન સાથે ગમતી મુલાકાત.

ખીલવાનો આનંદ હોય છે,
ખરવાની કોઈ યાદ નથી.
સુગંધ જેવો ભીનો ભીનો
વરદાન સમો વરસાદ નથી.

સોના જેવો દિવસ, રૂપા જેવી રાત
મરણ તો આવે ત્યારે વાત

હરતા રહેવું, ફરતા રહેવું
ઝરણાની જેમ વહેતા રહેવું
મહેફિલને મનભરીને માણી
જલસા જલસા કહેતા રહેવું

જીવન અને મરણની વચ્ચે નહીં પ્રશ્નો, પંચાત.
મરણ તો આવે ત્યારે વાત.

No comments: