Wednesday, September 7, 2011

'ચાણક્ય' ના વિચારો ના અમુક અંશો !

Today I got Inspired by Paarth Barot and thought to post some of the great thoughts by Legendary Chanakya!

 

ચાણક્યએ કહ્યું છે કે, "મનુષ્યે સમયની સાથે થતાં પરિવર્તનોને ઓળખતા શીખવું જોઇયે, અને તેની સાથે સાથે પોતાના નિર્ણય લેવા જોઇયે. પરિવર્તનને ઓળખી શકનાર મનુષ્ય જ પોતાનું વર્તમાન અને ભવિષ્ય નિયંત્રિત કરી શકે છે!"

-------------------------------------------------------------

ચાણક્યના વિચારો

બુદ્ધિશાળી મનુષ્યને પાંચ વાતો પોતાના મનમાં જ રાખવી જોઈએ . ધનનો નાશ , મનમાં થયેલું દુઃખ , પત્નીની ચાલ , પોતે છેતરાયાની વાત , પોતાનું અપમાન .
– જે મનુષ્ય લેણદેણમાં , વિદ્યા શીખવામાં , જમતી વખતે , વ્યવહારમાં શરમ છોડી દે છે તે જ સુખી થાય છે .
– સંતોષરૂપી અમૃતથી તૃપ્ત મનુષ્યને જે સુખ મળે છે તેવુ સુખ મેળવવા દોડાદોડ કરતા મનુષ્યને પણ નથી મળતી .
– મનુષ્યએ ત્રણ બાબતમાં સંતોષી રહેવું જોઈએ . પત્નીથી મળતા સુખમાં , ભોજનથી , પોતાની પાસે રહેલા ધનથી . આ ત્રણ બાબતથી ક્યારેય સંતોષી ના થઇ જવું . શાસ્ત્રોના અભ્યાસથી , પ્રભુ સ્મરણથી , દાન કરવાથી .
– લોભીને ધન આપી , અભિમાનીને હાથ જોડી , મુરખને તેની ઈચ્છા મુજબ કામ કરી , વિદ્વાન ને યોગ્ય , ન્યાયી વાત જણાવી વશમાં કરવા જોઈએ .
– ખરાબ રાજ્ય હોવા કરતા કોઈ પણ રાજ્ય ન હોય તે સારું . દુષ્ટ મિત્રો કરતા મિત્રો ના હોવા સારા , દુષ્ટ શિષ્યો કરતા એક પણ શિષ્ય ના હોય તે સારું તેવી જ રીતે દુષ્ટ પત્ની હોય તેના કરતા પત્ની ન હોય તે વધુ યોગ્ય ગણાય .
– દુષ્ટ રાજાના શાસનમાં પ્રજા સુખ શાંતિથી કેવી રીતે રહી શકે , ગદાર મિત્રોના સંગમાં આનંદ કેમ મળે , દુષ્ટ પત્નીથી ઘરમાં સુખ કેમ મળે , મૂર્ખ શિષ્યને વિદ્યા આપવાથી ગુરુને યશ કેવી રીતે મળે .
– સિંહ અને બગલામાંથી એક , ગધેડામાંથી ત્રણ , કુકડામાંથી ચાર , કાગળમાંથી પાંચ , કુતરામાંથી છ ગુણ ગ્રહણ કરવા જોઈએ . – મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યની શરૂઆત કરે તેમાં તેમણે શરુથી અંત સુધી પૂરી શક્તિ લગાવી દેવી જોઈએ . આ ગુણ સિંહ પાસેથી ગ્રહણ કરવા જોઈએ .
– બગલાની જેમ ઇન્દ્રિયો વશ કરી દેશ , કાળ , બળને જાણી વિદ્વાનો પોતાનું કાર્ય સફળતાપુર્વક પાર પડવું જોઈએ .
– સમયસર જાગવું , યુદ્ધ માટે સદાય તૈયાર , પોતાના શત્રુઓને ભગાડી દેવા , ચોકસાઈ . કુકડામાંથી ગ્રહણ કરવું જોઈએ .
– વર્ષો સુધી વસ્તુઓ સંઘરવી , સતત સાવધાન રહેવું , કોઈ પર સમ્પૂર્ણ વિશ્વાસ ન કરવો , મોટેથી બુમો પાડી બધાને ભેગા કરવા . આ ગુણો કાગડામાંથી ગ્રહણ કરવા જોઈએ .
– જયારે ભોજન મળે ત્યારે પેટ ભરી જમવું , ભોજન ન મળે ત્યારે થોડા ભોજનમાંથી સંતોષ કરવો . સારી રીતે ઊંઘવું પણ થોડો સરવરાટ થાય તો જાગી જવું . માલિક પ્રત્યે વફાદાર રહેવું , લડવામાં ગભરાવવું નહિ . -આ ગુણો કુતરા પાસેથી ગ્રહણ કરવા જોઈએ .
– ખુબ જ થાકેલા હોવા છતાં પોતાના માલિક નું સતત કામ કરવું , ટાઢ – તડકો , ગરમી – ઠંડીની ચિંતા કર્યા વગર સદાય જીવન જીવવું જોઈએ . આ ગુણ ગધેડા પાસેથી ગ્રહણ કરવું જોઈએ .
– જે વ્યક્તિ આ વીસ ગુણો શીખી લે છે અને તેનું આચરણ કરે છે તે તમામ કાર્યોમાં સફળતા મેળવે છે . તેને કદી પરાજય નો સામનો થતો નથી .
- જેમ સોનાને ઘસીને, કાપીને, તપાવીને, ટીપીને પરીક્ષા થાય છે તેમ મનુષ્યોની પરીક્ષા તેના ચારીત્ર્ય, ગુણ અને આચાર, વ્યવહાર પરથી થાય છે. - જ્યાં સુધી સંકટ અને આપત્તિ દૂર હોય ત્યાં સુધી બુદ્ધિશાળી લોકો તેનાથી ડરવું જોઈએ, પરંતુ જયારે મુશ્કેલીઓ આવી પડે ત્યારે દરેક વ્યક્તિએ પોતાની પૂરી તાકાતથી તેની સામે લડવું જોઈએ અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
-જેમ બોરડીના બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા તેમ એક જ માતાની કુખે જન્મેલા બાળકોના ગુણ, સ્વભાવ અને કર્મ સમાન નથી હોતા.
-વૈરાગીને વિષય પ્રત્યે આસક્તિ નથી હોતી અને નિષ્કામીને સોળે શણગાર સજવાની જરૂર હોતી નથી. વિદ્વાન વ્યક્તિની વાણી મધુર હોતી નથી અને સ્પષ્ટવક્તા ઠગ હોતો નથી.
-અગ્નિ , ગુરુ , ગાય , કુંવારી કન્યા , બ્રાહ્મણ , વૃદ્ધ માણસ અને નાનાં બાળકો – આ બધા સન્માનને પાત્ર છે . તેમને પગ સ્પર્શી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ .
– ગાડાથી પાંચ હાથ , ઘોડાથી દસ હાથ , હાથીથી સો હાથ દૂર જ રહેવું જોઈએ . દુષ્ટ માણસ થી બચવા સ્થાનનો ત્યાગ કરવો જ યોગ્ય છે .
– હાથીને અંકુશથી , ઘોડાને ચાબુકથી , પશુને લાકડીથી વશમાં કરાય . પણ દુષ્ટ વ્યક્તિ ને વશ કરવા તેનો સંહાર જ કરવો પડે .
– બ્રાહ્મણ ભોજનથી , મોર વાદળના અવાજથી , સજ્જન વ્યક્તિ બીજા વ્યક્તિને સુખી જોઈ પ્રસન્ન થાય છે . પરંતુ દુષ્ટ વ્યક્તિ બીજાને તકલીફમાં જોઈ પ્રસન્ન થાય છે .
– બળવાન શત્રુને અનુકુળ વ્યવહાર કરી , દુષ્ટ શત્રુને પ્રતિકુળ વ્યવહાર કરી અને સમાન બળવાળા શત્રુને વિનય કે શક્તિથી વશ કરવો જોઈએ

Chanakya's Quotes - Worth Learning
===================================================   

"A person should not be too honest.
Straight trees are cut first
and Honest people are screwed first." - I personally disagree at some extent, but its ok as its a quote!

"Even if a snake is not poisonous,
it should pretend to be venomous."


"The biggest guru-mantra is: Never share your secrets with anybody.  If you cannot keep secret with you , do not expect that other will keep it. ! It will destroy you."

"There is some self-interest behind every friendship.
There is no Friendship without self-interests.
This is a bitter truth." 
 
"Before you start some work, always ask yourself three questions - Why am I doing it, What the results might be and Will I be successful. Only when you think deeply
and find satisfactory answers to these questions, go ahead."
 
"As soon as the fear approaches near, attack and destroy it."

"Once you start working on something,
don't be afraid of failure and
 
don't abandon it.
People who work sincerely are the happiest."
 

"The fragrance of flowers spreads
only in the direction of the wind.
But the goodness of a person spreads in all direction."

"A man is great by deeds, not by birth."

"Treat your kid like a darling for the first five years.
       For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend.
Your grown up children are your best friends."

"Education is the best friend.
An educated person is respected everywhere.
Education beats the beauty and the youth." 

=============================================
Collected ones
=============================================
"Small but continuous hard work leads to better result." - Nilesh Chudasama
Learn to value yourself, which means: to fight for your happiness. -- Ayn Rand (From Prof. Dhaval Parikh)
Courtesy : Wikipedia! 

Disclaimer : Just get motivated, not excited! 



Related Posts on Motivation:


Analysis about 'Comfort Zone' and stepping out of it ! 

 

What Really Motivates us : Each one who is an employeE/R should see

 

No comments: