Tuesday, September 13, 2011

શબ્દ ક્યારેક તીર લાગે છે,કોઈ વેળા લકીર લાગે છે!


મિત્રો,

આ પળે જ્યારે પન્નાલાલ પટેલ ની 'માનવીની ભવાઈ' વાંચી રહ્યો છું, ત્યારે મને ખૂદને જ 
'મને સહેજ મારાથી અળગો કરી દઉં' એ વિચાર આવ્યો અને આ રચનાઓ આપને Share કરવાની ઇચ્છા થઈ ગઈ.
'અમુક શબ્દો ક્યારેક તીર લાગે છે' !!!

Go through each line and try to understand the in-depth meaning!

                                                                 *
મારુ સઘળુ એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનુ સ્થાન લઈ બેઠા,

માત્ર સરનામુ એમણે દીધું;
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.  


*
ટોચની આ કલ્પના ક્યાં તળ વગર ?
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર ?

છાપ સિક્કાની મને બન્ને ગમે;
માત્ર તું એને ઉછાળે છળ વગર.
*


શબ્દ ક્યારેક તીર લાગે છે,
કોઈ વેળા લકીર લાગે છે.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે.
*


મને સહેજ મારાથી અળગો કરી દઉં,
તને પામવાનો હું રસ્તો કરી દઉં.

નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના,
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં.
- ગૌરાંગ ઠાકર
(સૌજન્યઃ વૈભવ દેસાઈ)

2 comments:

harry said...

Bau j saras lakhyu che.....

harry said...

bau j sari post muki che...